સંસારમાં જોઇશું તો આપણને લાગશે કે, દરેક વ્યક્તિ
એમ જ કહેતો હોય કે, મારે તો સંસારમાંથી મુક્ત થવું છે,
પણ મોહ મને છોડતો નથી. ખરેખર આપણે મોહને
છોડતા નથી કે મોહ આપણને છોડતો નથી. બહારથી ભલે
લાગે કે મોહે આપણને જકડી રાખેલ છે, પણ ખરેખર તો
આપણે મોહને પકડીને બેઠા છીએ.