•   

    ૧:૧૦ - "સરસ વાત"

    એક સંતે સરસ વાત કરી છે :

    ખાવું હોય તો ગમ ખાજે 
    પીવું હોય તો ક્રોધ પીજે 

  •   

    ૧:૦૮ - કથા:"કષાય"

    એક યુવાન એક સંત આગળ જઈને પૂછે છે. ચાર કષાયમાં કયો કષાય વધારે ખરાબ?

  •   

    ૧:૦૫ - પંડિતની પંડિતાઈ

    એક વખત એક યુવક બનારસ ભણવા ગયો હતો. ત્યાંના એક બહુ જ વિદ્વાન પંડિત આગળ અભ્યાસ કરી પોતાને ગામ ચાલ્યો ગયો.આસ્તે આસ્તે આ યુવાનનું નામ બહુ પ્રચલિત થઈ ગયું.

  •   

    ૧:૬૧ - “સંસાર એક ધર્મશાળા”

    એક વખત એક ફકીર રાજમહેલ આગળ ઊભો રહી બૂમ પાડતો હતો કે ધર્મશાળાનો દરવાજો ખોલો. કોઈ આ ધર્મશાળાનો દરવાજો ખોલો. આ સાંભળી અંદરથી સંત્રી આવ્યો, ફકીરને કહે છે કે ભાઈ આ કોઈ ધર્મશાળા નથી. આ તો રાજાનો મહેલ છે.

  •   

    ૧:૬૪ - “અચ્છા હુઆ દેર અદેર આઈ ગયા”

    ભગવાન બુદ્ધની અંતિમ ઘડી આવી ત્યારે ગામમાં ખબર પડી કે બુદ્ધ હવે નિર્વાણની તરફ જઈ રહ્યા છે. છેલ્લી ઘડીઓ ગણાય છે. એ સાંભળી એક માણસ દોડતો દોડતો બુદ્ધના દર્શન માટે બુદ્ધ જ્યાં હતા ત્યાં પહોંચે છે.

  •   

    ૧:૬૬ - કથાઃ “તારી ચાલ ઉપરથી કહી શકાય”

    એક યુવાન એક ગામથી બીજે ગામ જતો હતો. ગામ આવ્યું નહીં એટલે એણે ઝાડ નીચે એક સંત બેઠેલા એને પૂછ્યું, ભાઈ મારે મલકાપુર જવું છે. મલકાપુર પહોંચતાં મને કેટલો સમય લાગશે?

  •   

    ૧:૬૯ - “અહીં જ પૂર્ણવિરામ”

    આજે બેઠા બેઠા વિચાર આવ્યો કે એક લેખ લખું પણ જેવી શરૂઆત કરી કે કલમ આગળ ચાલે જ નહીં. વિચારવા લાગ્યો કે આજે કલમને થયું છે શું? કેમે કરી આગળ ચાલવા તૈયાર જ નહિ. એટલામાં કલમ પોતાની મેળે જ ચાલવા લાગી ને એણે જ એના વિચારો લખી નાખ્યા. તો છે આ એના વિચારો પણ મેં એને શબ્દોમાં શણગારેલ છે.

  •   

    ૧: ૭૫ - “મૃત્યુ વગર જીવન અધૂરું છે”

    એક વખત એક રાજા તેના ગુરુ પાસે બગીચાનું કામ શીખવા ગયો, કારણ કે એના ગુરુને બગીચા માટેનું બહુ જ જ્ઞાન હતું. બે-ત્રણ વર્ષ સુધી બગીચા માટેનું જ્ઞાન લઈ રાજા પોતાના રાજ્યમાં ગયો. રાજ્યમાં જઈને એક સુંદર બગીચો બનાવ્યો

  •   

    ૧:૮૫ - "સંત કો સંત મિલે"

    અજ્ઞાની જ્ઞાનીને ભેટી શકે

    અજ્ઞાની અજ્ઞાનીને ભેટી શકે

    જ્ઞાની જ્ઞાનીને ભેટી શકે

    પણ સંત સંતને ભેટી શકે

  •   

    ૧:૮૬ - "સમૃદ્ધિ છે ત્યાં શાંતિ નથી" "ચુનાનનો રાજા"

    એકવાર યૂનાન દેશનો બાદશાહ માંદો પડ્યો. ડૉક્ટરોએ કહી દીધું કે હવે બાદશાહ બચશે નહિ. એ સમયે ગામમાં એક ફકીર આવેલ અને એ ફકીરના આશીર્વાદથી ઘણા બીમાર લોકો સાજા થઈ જતા. મંત્રીને વિચાર આવ્યો કે લાવ આ ફકીરને બોલાવી આવું, મંત્રી ફકીરને ગેમતેમ સમજાવીને મહેલમાં લઈ આવ્યા.

  •   

    ૧:૮૮ - "અહમ્ જાય – કામ થાય"

    એક વખત એક સંત પાસે પાંચ વિદ્યાર્થી ભણવા આવ્યા. એક વર્ષ અભ્યાસ કર્યા બાદ જવાનો સમય થયો. એટલે ગુરુને વંદન કરી બધાએ કહ્યું કે ગુરુદેવ અમો તમને ગુરુદક્ષિણા આપવા માંગીએ છીએ. તમે જે માંગશો એ અમે આપશું.

  •   

    ૧:૯૦ - "હું જાય તે પરમાત્મા થાય"

    રામકૃષ્ણ પરમહંસ હંમેશાં કહેતા હતા કે, એક વખત મીઠાનું પૂતળું સમુદ્ર કિનારે એક મેળામાં ફરવા ગયું. મેળામાં ફરતું હતું ત્યારે એક માણસે પૂછ્યું કે ભાઈ આ અથાગ સમુદ્રની ઉંડાઈ કેટલી હશે?

  •   

    ૧:૯૩ - "જૈને માટે વિશ્વ એક મંદિર છે"

    પૂર્ણા નામનો એક બુદ્ધનો શિષ્ય હતો. એનો વિદ્યા–અભ્યાસ પૂરો થયો એટલે બુદ્ધને કહ્યું કે હું તમારો ઉપદેશ આપવા બિહારના સુખા નામનો પ્રદેશ છે. ત્યાં જવા માંગું છું, કારણ કે ત્યાં હજી સુધી કોઈ ગયું નથી.

    બુદ્ધે કહ્યું કે ત્યાંના લોકો બહુ ખરાબ છે. તને ગાલ ગલોચ કરશે તો તું શું કરીશ?

  •   

    ૧:૯૪ - "એક અજનબી"

    ઘણાં વર્ષો પહેલાં “ઓશોની” એક બુક વાંચેલ. એમાં એક સુંદર દષ્ટાંત હતું કે એક વખત એક અજનબી રાજાના દરબારમાં આવ્યો. દરબારમાં રાજા સુંદર કપડાં પહેરીને સિંહાસન ઉપર બેઠા હતા.

  •   

    ૧:૯૫ - "શ્વાસ તૂટ્યો સંબંધ છૂટ્યા"

    એક વખત એક યુવાન ફકીર પાસે આવ્યો ને ફકીરને કહ્યું કે મારે પણ તમારી જેમ સંસાર છોડી ફકીર બનવું છે. ફકીર બોલ્યો તો શું વિચાર કરે છે ? એક તકલીફ છે બાબા શું તકલીફ છે બોલ બચ્ચા.

  •   

    ૧:૧૦૦ - "કથા" સંવાદ

    એક વખત રમણ મહર્ષિના શિષ્ય રમણ મહર્ષિને પૂછ્યું, ગુરુદેવ જેમ નદી સમુદ્રમાં મળી પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે તેમ મૃત્યુ પણ માણસને પોતાનું અસ્તિત્ત્વ ગુમાવી પુનઃજન્મમાંથી મુક્ત કરે છે કે નહિ ?

  •   

    ૧:૧૦૧ - "ધર્મ રાજા"

    પાંચ પાંડવ અજ્ઞાતવાસમાં હતા ત્યારે ફરતા ફરતા થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ધર્મરાજને તરસ લાગી એટલે નાના સહદેવ અને નકુલને કીધું કે પાણી ભરી આવ.

  •   

    ૧:૧૦૨ - "મારે પહોંચવાનું ત્યાં હતું જ્યાં હું હતો"

    આ વાત મારી નથી કે તમારી નથી. આ બુદ્ધની વાત છે. બુદ્ધને જયારે જ્ઞાન થયું ત્યારે લોકોએ પૂછ્યું આપ પહોંચી ગયા ?

  •   

    ૧:૧૦૩ - "તને તોડતાં આવડે છે મને જોડતાં આવડે છે"

    એક વખત ભગવાન બુદ્ધ એક ગામથી બીજે ગામ વિહાર કરીને જતા હતા. વચ્ચે એક નાનું ગામ આવ્યું. એટલે ત્યાંના લોકોએ બુદ્ધને કહ્યું કે, તમે આ રસ્તે આગળ જતા નહીં, કારણ કે રસ્તામાં વચ્ચે એક નાનો પહાડ આવે છે અને એ પહાડ ઉપર અંગુલિમાલ નામનો હત્યારો રહે છે. આ હત્યારો ૯૯૯ હત્યા કરી ચૂક્યો છે. એક જ હત્યા બાકી છે. તો તમો એ રસ્તે જતા નહીં. નહીં તો એ તમારી હત્યા કરી નાખશે.

  •   

    ૧:૧૩ - સંસાર-પાર

    એક યુવાન સંત આગળ જઈને પોતાની વ્યથા બતાવે છે. જીવનથી બહુ થાકી ગયો છું. કોઈ સાચો માર્ગ બતાવતું નથી. ઘણે ઘણે ફરી આવ્યો પણ ખરું સત્ય સાંપડતું નથી,



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC