જીવન એક પહેલી છે. માનવી જીવનભર વિચાર કરે છે,
પણ એ કોયડો ઉકેલી શકતો નથી અને બુદ્ધ, મહાવીર
અને ફ્રાઇસ્ટ જેવાએ ઉકેલ્યો, પણ એ આપણને બતાવી
શકતા નથી, કારણકે એ કોયડો જ્યારે ઉકેલાય છે ત્યારે
ઉકેલનાર જ જાણી શકે છે. એ માત્ર આપણને ઇશારા
કરી શકે, પણ બતાવી શકે નહિ.