•   

    ૧: ૪૭ - સુવિચાર

    • રાત જબ ઘેરી હોતી હૈ
      તબ ઊજાલા બહોત નજીક હોતા હૈ
  •   

    ૧: ૪૦ - સુવિચાર

    • “જે વૈદ દરદીની નાડ પારખી શકે છે તેની બોલબાલા થાય છે.”
  •   

    ૧: ૪૧ - “સનેડો”

    આ સનેડો શબ્દ આપણને લગ્નગીતોમાં બહુ જ સાંભળવા મળે છે. “સનેડો”નો અર્થ સ્નેહ, પ્રેમ વગેરે વગેરે થાય છે. લગ્નગીતમાં વરપક્ષવાળા વરના પિતા-માતા, ભાઈ-બેન, દાદા-દાદી વગેરેના વખાણ કરવા માટે ‘સનેડો’ શબ્દનો ઉપયોગ કરે છે. સનેડો એક નિર્દોષ સ્નેહની અભિવ્યક્તિ માટે છે. મેં આ જ રીતે એ સનેડાનો ઉપયોગ પ્રભુ ઉપર સ્નેહ દર્શાવવા કરેલ છે

  •   

    ૧: ૪૨ - “ગુરુ આગમન” “શેર”

    નીંદરડી આવી નહીંને

    શમણાંઓ ઉમટી પડ્યાં.

  •   

    ૧: ૪૩ - “મા એ મા”

    એક વખત એક યુવાન દંપતી જૂહુના દરિયાકિનારે ફરવા ગયેલ. રવિવારનો દિવસ અને દરિયાકિનારે ખૂબ જ ભીડ. આ ભીડની અંદર આ દંપતીનો ત્રણ-ચાર વર્ષનો પુત્ર સાથે સાથે ચાલતાં અલગ થઈ ગયો. જયારે દંપતીએ પુત્રને જોયો નહિ ત્યારે બન્ને એકદમ હેબતાઈ ગયાં

  •   

    ૧: ૪૪ - સુવિચાર

    • સંસારમાં તમારાથી કોઈ વધારે શ્રીમંત છે સંસારમાં તમારાથી કોઈ વધારે જ્ઞાની છે
      સંસારમાં તમારાથી કોઈ વધારે ઉચ્ચ પદવીધારી છે.
      આ ભાવ જ્યારે ગાઢ બને છે ત્યારે તમારા અહંકારનો નાશ થાય
      છે અને કષાયમાં મંદ પડે છે.
  •   

    ૧: ૪૫ - “ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા”

    સત્તા, સંપત્તિ અને જ્ઞાન ત્રણે અહંકારની માતા છે. આ ત્રણેય અહંકારને જન્મ આપે છે. આ ત્રણેય ઉપર વિજય જે મેળવે છે એ સાધુમાંથી સંત બને છે. સંત બનવું એ એક મોટી પ્રક્રિયા છે

  •   

    ૧: ૪૬ - “ખરાબ દેખાતામાં પણ ગુણ હોય છે”

    એક ખેડૂત હંમેશાં કાવડ લઈને ખેતરે જતો. કાવડમાં બે ઘડા પાણીના હોય. એક ઘડામાં નાનું કાણું. આથી ખેતરે પહોંચે ત્યાં સુધીમાં માટલું ખાલી થઈ જાય. કાણાવાળા માટલાને એક દિવસ વિચાર આવ્યો કે, ચાલ આ ખેડૂતને પૂછી જોઉં કે તું ખેતરે પહોંચે છે

  •   

    ૧: ૪૮ - તપ-મહિમા

    જયારે આપણે કોઈપણ તપ કરીએ છીએ ત્યારે “તપ” પહેલાં ફાયદા શું થાય છે? એ પહેલા જોઈએ છીએ. ધારો કે કોઈ સંત આપણને કહે કે તપથી કોઈ ફાયદો થતો નથી પણ શરીર માટે તપ સારું તો આપણે કેટલાં તપ કરીએ? ના તો આપણે તપમાં રસ ન લઈએ. ફળ પહેલાં નક્કી હોય તો જ આપણે એમાં ઇચ્છા કરીએ. આ આપણી મનોદશા છે.

  •   

    ૧: ૪૯ - “આજનો જ્ઞાની પોતાના જ્ઞાનના ભારથી દબાઈ ગયો છે”

    વર્ષોથી કંઈક જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મહત્ત્વકાંક્ષાનો વર વર્ષો સુધી તપતો રહ્યો. સાધુવેશનાં વસ્ત્રો ભાળી મનમાં દોટ શરૂ થતી. નાનપણથી જ સાધુપણા ઉપર કંઈક જાણવાની, ઉત્કંઠા, કોઈ અગમ્ય શક્તિ જાણે આ માટે ખેંચતી હોય તેવું ભાસે. સાધુની પંડિતાઈ જોઈ તેઓનો શાસ્ત્રો ઉપરનો પ્રેમ જોઈ તેમનું વાણી ચાતુર્ય જોઈ એમ લાગે કે જીવનમાં એણે જે મેળવ્યું છે એ હું મેળવીશ. હું પણ બીજાને પ્રભાવિત કરી મારી જાતને અહંકારની ભાવનાથી ભરી દેતો.

  •   

    ૧: ૫૦ - “પરિગ્રહ”

    પંખી એક એક તણખલું ભેગું કરી માળો બનાવે છે અને પોતાનાં ઈંડાં સેવે છે. આમ ને આમ ઈંડામાંથી બચ્ચાં બની ગેલ કરતાં કરતાં. સમય પસાર થઈ જાય છે અને આસ્તે આસ્તે પંખીને માળો એટલો બધો ગમવા લાગે છે કે એનું મમત્વ એનાથી છૂટતું નથી તો પણ એક દિવસ માળો વેરવિખેર થઈ જાય છે.

  •   

    ૧: ૫૧ - “માણસ દેખાય છે એવો હોતો નથી”

    મારા એક મિત્ર મનુની પત્ની ગુજરી ગઈ એટલે એ બહુ ઉદાસ રહેવા લાગ્યો. હું એને મળવા ગયો એટલે છાતી પીટી પીટીને રોવા લાગ્યો. આપણને માન્યામાં ન આવે કે આવી વ્યક્તિ છાતી પીટીપીટીને કેમ રોઈ શકે ?

  •   

    ૧: ૫૨ - કાવ્યઃ “મા”

    ટૂંઢતો હતો ભગવાન પર્યાય તારા નામનો

    જોઈ મુખ મારી “મા” તણું મળી ગયો પર્યાય તારા નામનો.

  •   

    ૧: ૫૩ - “ન સમજાય એવું માણસનું મન”

    એક વખત એક નગરના રાજાને વિચાર આવ્યો કે મારી પ્રજાનું હું કેટલું બધું ધ્યાન રાખું છું અને પ્રજા પણ મારાથી બહુ ખુશ છે. જયારે જયારે હું નગરમાં નીકળું છું ત્યારે ખમા-ખમા, વાહ વાહ આવા ઉદ્ગાર કાઢી મારું બહુ માન કરે છે. રાજાએ આ વાત મંત્રીને કરી કે લોકોમાં મારી કેટલી નામના છે. લોકો મને બહુ ચાહે છે.

  •   

    ૧: ૫૪ - “સ્તવન”

    કમ બોલો સચ બોલો જૂઠ કભી ભી મત બોલો

    કમ બોલો સચ્ચ બોલો જૂઠ કભી ભી મત બોલો

     બોલીમેં હી અમૃત હૈ બોલીમેં હી જહર ભરા

    બોલી પ્રેમ બઢાતી હૈ મીઠા બોલકે દેખ જરા

    ઐસી બોલી તુમ બોલો મનકા મેલ સભી ધો લો....કમ બોલો

  •   

    ૧: ૫૫ - સુવિચાર

    • આસમાન સિતારોથી ચમકે છે
      ધરતી ફૂલોની મહેકથી મઘમઘ છે
      દિશાઓ હવાઓથી લહેરાય છે
      સાગર લહેરોથી (નાચે છે) શોભે છે.
  •   

    ૧: ૫૬ - “સંસાર”

    સંસારમાં કોઈ ને કોઈ તમારી આગળ હોય યા કોઈને કોઈ તમારી પાછળ હોય. ચક્રમાં ઉભેલ દરેક વ્યક્તિની કોઈ આગળ હોય અગર તો કોઈ પાછળ હોય. આગળવાળાને જોઈને આપણને દુઃખ થાય આપણા કરતાં કોઈ આગળ છે અને પાછળવાળાને જોઈને હરખ થાય કે આપણે બીજા કરતાં આગળ છીએ.

  •   

    ૧: ૫૭ - નકલને અક્કલ નહીં

    જે વ્યક્તિ નકલ કરે છે એને અક્કલ ચલાવવાની હોતી નથી, બીજાની બુદ્ધિ પ્રમાણે પોતે પણ બુદ્ધિશાળી છે. એમ બતાવવા કોશિશ કરે છે. પણ આવી નકલ ઝાઝો સમય ચાલતી નથી.

  •   

    ૧: ૫૮ - “જન્મજયંતિ” “પુષ્યજયંતિ” “દીક્ષાજયંતિ”

    આપણે દરેક ધર્મમાં તેમના ધર્મગુરુની પુણ્યતિથિ જન્મજયંતિ વગેરે ઉજવીએ છીએ. ઘણા લોકોને હવે એ ગમતું નથી. ઘણા વિચારે છે કે આ આરંભ-સમારંભ છે. ઘણા વિચારે છે કે જરૂરી છે. આમ બધા લોકો પોતપોતાના મંતવ્યો રજૂ કરે છે પણ ખરેખર નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સમજપૂર્વક જો કોઈ કામ થતું હોય તો એનો આશય શુભ જ હોય છે. આજે આપણે બુદ્ધજયંતિ, મહાવીર જયંતિ, ગાંધીજયંતિ વગેરે ઉજવીએ છીએ. એ પાછળનું કારણ કે સમય જતાં આપણે આવા મહાન આત્માને ભૂલી ન જઈએ અને આવું બધું નહીં કરીએ તો તેઓને ભૂલી જતા વાર નહીં લાગે, કારણ કે માણસનું મન સમય જતાં બધું જ ભૂલી જાય છે. આપણે ઘેર યુવાનનું મૃત્યુ થયું હોય તો એ પણ ભૂલી જઈએ છીએ, તો ગુરુભગવંતને ભૂલી જતાં શું વાર લાગે?

  •   

    ૧: ૫૯ - “ત્રણ ફકીર”

    ગંગા કિનારે એક નાનું એવું ગામ હતું અને એ ગામમાં એક પંડિત રહેતો હતો. આ પંડિત આજુબાજુ ગામમાં બહુ જ પ્રખ્યાત. લોકો દૂરદૂરથી એની આગળ ધર્મચર્ચા કરવા આવે. કોઈપણ ધર્મના ગૂંચવાડા ભરેલ પ્રશ્ન હલ કરવા માટે આ પંડિત પ્રખ્યાત.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC