•   

    ૧: ૬૦ - “એક શબ્દ જિંદગીનો રાહ બદલી નાખે છે”

    એક વખત એક અમેરિકન કરોડપતિ રસ્તે જતો હતો. ત્યાં તેણે એક ચિત્રકારને પગ ઉપર પગ ચડાવીને બેઠો જોયો. ચિત્ર અધૂરું પડ્યું હતું અને ચિત્રકાર પગ ઉપર પગ ચડાવીને લાંબો થઈને આરામથી બેઠો હતો. કરોડપતિએ જોયું કે ચિત્ર અધૂરું છે પણ બહુ જ મધૂરું છે. જો એ પૂર્ણ થઈ જાય તો કેટલું કિંમતી થઈ જાય. એને વિચાર આવ્યો કે આ ચિત્રકાર આ ચિત્ર પૂરું કરે તો કમ સે કમ ૫૦ હજાર રૂપિયામાં વેચાઈ જાય

  •   

    ૧ : ૦૩ - સુવિચાર

    અસ્ત થતાં રવિ પૂછતા અવનિને
    કોણ પૂરા કરશે કર્તવ્ય મારાં

  •   

    આભાર

    પત્થરને ઘડવા માટે જેમ એક શિલ્પી જોઈએ તેમ ડૉ. યશવંતભાઈ ત્રિવેદી મારા માટે શિલ્પકાર છે. આજે જ્યારે આ પુસ્તક તૈયાર થયેલ છે એમાં ડૉ. યશવંતભાઈનો સિંહફાળો છે. કદાચ જો ડૉ. યશવંતભાઈ મને મળ્યા ન હોત તો આજે આ પુસ્તક થયું જ ન હોત. તેમનો નિખાલસ સ્વભાવ, સૌમ્ય ચહેરો, સાહિત્યપ્રેમ અને બીજા માટે કંઈક કરી છૂટવું – એવું જેનું જીવન–જાણે આપણને એક નવું જીવન આપતા હોય એવું લાગે. જે જે લોકો એકવાર એમના સંપર્કમાં આવે છે. તેઓ તેમને ભૂલી શકતા નથી. તેમનાં પત્ની પ્રા. જ્યોત્સના બહેનને જુઓ એટલે લાગે કે રામ-સીતાની જોડી. વિશેષમાં ડૉ. યશવંતભાઈને એટલા સાહિત્ય જગતના એવોર્ડ મળેલ છે કે જો યાદી આપું તો બે પાનામાં પણ એ પૂરી ન થાય. ખૂબ ખૂબ આભાર.

     

     

  •   

    ૧ : ૦૧ - ઇન્દ્રિયનાં સુખ, અંતે દીએ છે દુઃખ.

    ૧.      કાન-શ્રવણ ઇન્દ્રિય :

    હરણને સંગીતનું આકર્ષણ હોય છે. એટલે શિકારી સંગીતથી હરણને આકર્ષિત કરે છે અને અંતે શિકારીની જાળમાં હરણ ફસાઈ જાય છે.



આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC