૧: ૭૯ - સુવિચાર

  • જીતવું હોય તો જીતજે ચાર કષાય ને એક મન
    જન્મારો જતો રહેશે નહીં કામ આવે ધન
  • માણસ પોતાની દષ્ટિથી બધી વસ્તુનું મૂલ્યાંકન કરે છે.
    ગુલાબના ફૂલને જોઈને કોઈ કહે છે કે ભગવાને હજારો કાંટા વચ્ચે
    એકજ ફૂલ બનાવ્યું અને કોઈ કહે છે કે ભગવાને લાખો કાંટા વચ્ચે
    એક ફૂલ ખીલવ્યું. કેટલું અદ્ભુત દરેકની દષ્ટિ કેવી અલગ-અલગ
    પહેલાની દષ્ટિ નકારાત્મક, બીજાની હકારાત્મક.