૧: ૬૫ - સુવિચાર

  • કર્મ ત્રણ જાતના હોય છે – “એક કર્મ એવું કે પેપર ઉપર ધૂળ લાગેલ હોય તેવું.” જે પેપર ઉપાડતાં જ ખરી પડે.
         “બીજું કર્મ એવું કે કપડાં ઉપર લાગેલ ધૂળ જેવું” જે કપડાંને ઝાટકવાથી દૂર થાય.
           “ત્રીજા કર્મ એવા જે તાજા કલર કરેલ દીવાલ ઉપર ચીટકેલ ધૂળ જેવા” જે નીકળે જ નહીં. આને ચીકણા કર્મ કહે છે.
  • ક્રોધની બાધા લેવાથી ક્રોધ જીતાઈ જાય
    લોભની બાધા લેવાથી લોભ જીતાઈ જાય
    માયાની બાધા લેવાથી માયા જીતાઈ જાય
    અહંકારની (માનની) બાધા લેવાથી લાગે કે અહંકાર જીતાઈ ગયો પણ એ જીતાય નહીં, કારણ કે તુરત તમે કહેશો કે મેં અહંકારની બાધા લીધી. બસ અહંકારની બાધા લીધી, કીધું કે, અહંકાર આવી ગયો.
  • શરીરનો વિશ્રામ એટલે ઊંઘ,
    મનનો વિશ્રામ એટલે ધ્યાન.