૧: ૬૨ - સુવિચાર

  • “આત્મા અમર છે એવી મોટી મોટી વાતો તમારા મૃત્યુના ડરને છૂપાવે છે.”
  • કેટલા આવ્યા ને કેટલા ચાલ્યા ગયા જગ મહીં
    કેટલા ગયા સ્મશાને ને કેટલા ગયા કબર મહીં
    કોઈકોઈની ભાળ કાઢતું નથી હવે અહીં
    બધું જ સૂમસાન દેખાય છે કબર અને સ્મશાન મહીં
    સિકંદર જેવા સિકંદરની કબર પણ નથી જડતી અહીં
  • વિદાયને શબ્દોમાં સમાવી શકતાં નથી,
    આંખની પાંપણમાં અછાના રહેતા નથી.
    જિંદગીની જયોત બુઝાતાં વાર નહિ
    લાખોની લક્ષ્મી લૂંટાતાં વાર નહીં
    સ્નેહીઓના સ્નેહ સૂકાતાં વાર નહિ
    કાયાનાં કમળ કરમાતાં વાર નહિ.
  • કોઈ બિના ધન દુઃખી છે કોઈ રોગથી દુઃખી
    છે કોઈ પત્ની વિરહ દુઃખી તો છે કોઈ પુત્રવિહોણા દુઃખી
    જગત આખું ભર્યું છે દુઃખના દુઃખથી દુઃખી
    કરી લે બે ઘડી પ્રભુસ્મરણ થશે સુખી સુખી
    કરી લે બે ઘડીના સામાયિક થશે સુખી સુખી