premanuragi.lalit@gmail.com
ગુલઝાર
બ્લોગ
પ્રસ્તાવના
બ્લોગ
તમે અહિ છો:
બ્લોગ
/
૧: ૬૨ - સુવિચાર
Jul
09
2021
859
ગુલઝાર ભાગ - ૧
૧: ૬૨ - સુવિચાર
“આત્મા અમર છે એવી મોટી મોટી વાતો તમારા મૃત્યુના ડરને છૂપાવે છે.”
કેટલા આવ્યા ને કેટલા ચાલ્યા ગયા જગ મહીં
કેટલા ગયા સ્મશાને ને કેટલા ગયા કબર મહીં
કોઈકોઈની ભાળ કાઢતું નથી હવે અહીં
બધું જ સૂમસાન દેખાય છે કબર અને સ્મશાન મહીં
સિકંદર જેવા સિકંદરની કબર પણ નથી જડતી અહીં
વિદાયને શબ્દોમાં સમાવી શકતાં નથી,
આંખની પાંપણમાં અછાના રહેતા નથી.
જિંદગીની જયોત બુઝાતાં વાર નહિ
લાખોની લક્ષ્મી લૂંટાતાં વાર નહીં
સ્નેહીઓના સ્નેહ સૂકાતાં વાર નહિ
કાયાનાં કમળ કરમાતાં વાર નહિ.
કોઈ બિના ધન દુઃખી છે કોઈ રોગથી દુઃખી
છે કોઈ પત્ની વિરહ દુઃખી તો છે કોઈ પુત્રવિહોણા દુઃખી
જગત આખું ભર્યું છે દુઃખના દુઃખથી દુઃખી
કરી લે બે ઘડી પ્રભુસ્મરણ થશે સુખી સુખી
કરી લે બે ઘડીના સામાયિક થશે સુખી સુખી
0 likes
Add comment
શ્રેણીઓ
કથા
કવિતા
ગુલઝાર ભાગ - ૧
ગુલઝાર ભાગ - ૨
સુવિચાર
આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.
© Copyright 2026
પ્રેમ અનુરાગી
Powered by
Web InfoTech LLC