૧: ૨૫ - સુવિચાર

  • તૂફાન સે હમ ડરતે નહીં 
    ક્યોંકિ ઝૂકના હમને સીખ લિયા હૈ. 
    અંધેરે સે હમ ડરતે નહીં
    ક્યોંકિ જ્ઞાન કી રોશની ગુરુસે પાયી છે. 
    અધર્મીઓસે હમ ડરતે નહીં 
    ક્યોંકિ “મહાવીર”કા ધર્મ હમારે સાથ . 
    હમે માંગનેકી અબ કોઈ ઈચ્છા નહીં 
    કયોંકિ ગુરુકા આશિષ હમારે પાસ હૈ. 
  • કુદરતની કરામત છે કેવી ભલા
    લોહીના રંગ બધાના સરખા
    નહીં દેખાવમાં એક પણ સરખા,
    સરળતા, નમ્રતા અને ચારિત્ર્ય વગર ધર્મનો મર્મ જાણી શકાતો નથી.
  • બુદ્ધિથી સંપત્તિ મળી શકે છે,
    હૃદયથી ઈશ્વર મળી શકે છે.
  • અપમાનના લાડુ કરતાં
    માનની સૂકી રોટી સારી.
  • જે દિવસે આપણે સમજીએ છીએ કે
    ધનપતિ થઈ ગયા તે દિવસે આપણે
    દુનિયાના ગરીબમાં ગરીબ થઈ ગયા.
    જે દિવસે આપણે સમજીએ છીએ કે જ્ઞાની થઈ ગયા તે દિવસે આપણે અજ્ઞાની થઈ ગયા.
  • ધર્મ-અધર્મની વાતો બંધ થાય છે ત્યારે ધર્મની શરૂઆત થાય છે.
  • સાધુ થવું સહેલું છે, સાધુતા આવવી મુશ્કેલ છે.